દર્દોનું તું બારણું , કદી ખોલીશ ના, કોઈ વ્યર્થ શબ્દોને કદી જોડીશ ના. પ્રારબ્ધમાં છે એ મળી રહેવાનું છે, લાગે ભલે ઓછું ,કદી તોલીશ ના. છોને વગાડે બિન મદારી જેમ મન, ફણિધર ની જેવો તું કદી ડોલીશ ના. મીઠી જરા વાતો થી ભરમાઈ કદી, ભાવો તું શબ્દોમાં કદી બોલીશ ના. ખીલી જવા આનંદમય જીવન જરા, સંસાર ચિંતન મન, કદી ફોલીશ ના. ©Mohanbhai आनंद દર્દોનું તું બારણું , કદી ખોલીશ ના, કોઈ વ્યર્થ શબ્દોને કદી જોડીશ ના. પ્રારબ્ધમાં છે એ મળી રહેવાનું છે, લાગે ભલે ઓછું ,કદી તોલીશ ના. છોને વગાડે બિન મદારી જેમ મન, ફણિધર ની જેવો તું કદી ડોલીશ ના.