"ચંદ્ર " નવગ્રહનો બીજો ગ્રહ, ચંદ્ર 🌙 ગ્રહ ગણાય, ચંદ્ર છે મનનો કારક, મનમાં આવે વિચાર, મન જો નબળું હોય તો, સફેદ મોતી પહેરાય, પણ જો મોતી ના હોય તો, ચાંદની રાતમાં ફરાય, કોમળ કિરણો ચાંદનીના, મન પણ મજબૂત થાય, ચંદ્રના ચકોર બનીને, જીવન સરળ જીવાય, સુતા પહેલા દૂધ પીએ, ખોટા વિચારો ના થાય, પુરતી ઉંઘ લેવાથી, સવારે તાજગી વર્તાય.. ચંદ્ર છે ફળદ્રુપતાના દેવ, એટલે તો... શરદપૂનમે ખીર ખવાય, ચંદ્ર છે નિષાધિપતિ, ક્ષુપારક પણ કહેવાય, ચંદ્ર છે મનનો કારક, માતાનું પ્રતિનિધિત્વ ગણાય.. - Kaushik Dave — % & #ચંદ્ર