ના જાઓ ઘનશ્યામ હો વાલા હૈ યે લખાયું તારું નામ . એમ કહે છે ગોકુળીયુ ગામ વાલાહૈંયે લખાયું તારું નામ. તારા વિના લાગે છે બંસીવટ સુના , ઠંડી જમુના નીર લાગે ઉના ઉના . સુનુ લાગે છે વૃંદાવન ધામ કાના હૈંયે લખાયુ તારું નામ. તારા વિના કેમ કરું હું દિવાળી , તારી યાદોની હૈંયે સળગે છે હોળી , બળી ગયા સપના તમામ હૈંયે લખાયુ તારુનામ. મથુરાની વાટ તને લાગી વાલી વાલી , તો કેમ નાચ્યો તો તે દી હાથ મારો જાલી, કરીરાધાને અમથી બદનામ માધા હૈંયે લખાયુ તારું નામ. શ્યામ તારુ ગીત ગાઉં તારા પર વારી જાઉં, જગ માં અમર રહેશે તારું નામ વાલા હૈંયે લખાયુ તારું નામ. #રાધા#શ્યામ-દિવાની#ગુજરાતીકવિતા