બદલાવ સૃષ્ટિનો નિયમ છે માટે , તેનો સહજ સ્વિકાર કરી જ લેવો . સમય બદલે , માણસ બદલે , ભાગ્ય બદલે , સ્થિત બદલે કે પરિસ્થિતિ બદલે.....મનને દરેક બદલાવનો સામનો કરવા કેળવવું અને પોતાની જીંદગીની દરેક ક્ષણ નો સદ્ઉપયોગ કરવો . "જીંદગી મળી છે તને મોંઘેરા રે મૂલની મનવા , જો જે ક્યાંક જોતજોતામાં વેડફાય નવ જાય રે ! કર કાંઈક એવું કાજ કે જગતમાં તારૂં નામ થઈ જાય , આ દે'હ નું ભલે ફીંડલુ વળી જાય પણ નામ તારૂં ઈતિહાસમાં અમર થઈ જાય . જીંદગી કોઈ રમત નથી રે મનવા , જો જે ક્યાંક નાના-મોટા દાવપેચમાં ઉલજાઈ નવ જાય રે . જીંદગી મળી છે તને મોંઘેરા રે મૂલની મનવા , જો જે ક્યાંક જોતજોતામાં વેડફાય નવ જાય રે ! " - મારા મનોમંથનમાંથી... 😇🙏 ©AbhiPriya મારા મનોમંથનમાંથી મારી સ્વરચિત કવિતા #ગુજરાતીકવિતાઓ #નોજોટો #જીંદગી #કવિતા