ડૉ.ગંભીરસિંહ ગોહિલ શામળદાસ કૉલેજના પૂર્વ આચાર્ય, ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સેંદરડા ગામે તેમનો જન્મ ૦૮/૦૬/૧૯૩૪ ના રોજ થયો હતો ગામમાં પ્રાયમિક શાળા હતી નહિ જેમ તેમ કરી ૪ ધોરણ સુધીનો અભ્યાસ કરીને ભાવનગર ખાતે મનહ૨કુંવરબા રાજપૂત વિદ્યાલય - છાત્રાલયમાં રહીને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી તેઓ મેટ્રોક્યુલેટ થયા. ૧૯૫૪ની એસ. એસ . એસ. ( પુના બોર્ડ ) ની પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં સમગ્ર બોર્ડમાં તેઓ પ્રથમ હતા. ભાવનગર શહેરની બધી શાળાઓમાં તેમનો ક્રમ પ્રથમ હતો . શામળદાસ કૉલેજમાં ૧૯૬૧ માં બી . એ . અને ગુજરાતી સંસ્કૃત વિષય લઈને ૧૯૬૩માં એમ.એ . થયા. ગુજરાતી અને હિન્દી વિવેચન સાહિત્યનું તુલનાત્મક અધ્યયન: ૧૮૫૦-૧૯૫૦ વિષયમાં તેઓ ૨૦૦૭માં પી.એચ.ડી(PHD)થયા. *ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ , ઉપલેટા મ્યુનિ . આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (૧૯૬૬-૭૦) પછીથી તે જ કૉલેજમાં આચાર્ય ૧૯૭૦થી ૧૯૭૫ . *ભાવનગરની કાપડિયા કૉલેજ ( ૧૯૭પ-૭૭ ) , *સાવરકુંડલા ( ૧૯૭૭ - ૮૬ ) , *વળિયા કૉલેજ ભાવનગર ( ૧૯૮૬ - ૯૦ ) માં આચાર્ય તરીકે કામ કર્યું . *શામળદાસ કૉલેજના આચાર્ય : (૧૯૯૦-૯૪) નિવૃત્ત થયા. તે દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીની સિન્ડીકેટ - એકઝિકયુટિવ કાઉન્સિલ સુધીના સત્તામંડળોમાં કામ કર્યું. * પ્રમુખ : ભાવનગર ગદ્યસભા ૧૯૯૨થી * પ્રેસિડન્ટ : ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કોલેજ પ્રિન્સીપાલ એસોસિએશન ૧૯૯૦ - ૯૪ *ચેરમેન : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ , ગાંધીનગર - ૧૯૯૬ - ૯૮ *પ્રમુખ : ઓલ ઈન્ડિયા એસો . ઓફ ટેકસબુક ઓર્ગેનાઇઝેશન *સેક્રેટરી: મનહરકુંવબા રાજપૂત છાત્રાલય ભાવનગર ૧૫વર્ષ( તે દરમિયાન સંકુલ માટે ફંડ એકત્ર કરવામાં પણ તેમનો અગત્યનો ભાગ છે). * પ્રગટ થયેલાં પુસ્તકો ૧)નર્મ ગદ્ય ' : પ્રેમાનંદ સાહિત્ય સભા , વડોદરા ૧૯૭પ ( સંપાદન ) ૨) 'અક્ષરલોકની યાત્રા ' ૧૯૮૦ ( સંપાદન ) ' ૩)ખિસકોલી તો ખિસકોલી જ ' બાલવાર્તા સંગ્રહ , ૨૦૦૬ ૪)'પંખીડું ઊડી ઊડી જાય ' બાલવાર્તા સંગ્રહ ૫) 'ગુજરાતી હિન્દી વિવેચન સાહિત્ય - એક અધ્યયન ' – ૨૦૦૯ , વિવેચન વિભાગમાં પ્રથમ પારીતોષિક : ' ૨૦૦૯ , ગુજરાત સાહિત્ય અકાદમી , ગાંધીનગર ૬) “ ગ્રંથવિવેક ' ૨૦૧૦ ૭)‘ ગ્રંથવિશેષ ' ૨૦૧૧ ૮) પ્રજાવત્સલ રાજવી ’ ૨૦૧૨ ( મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જીવનચરિત્ર ) ( ૧ ) કાકા સાહેબ કાલેલકર . પારિતોષિક – ૨૦૧૪ , ગુજરાતી સાહિત્ય પરિષદ , અમદાવાદ . ( ૨ ) ચરિત્ર સાહિત્ય ( ૨૦૧૫ ) માં પ્રથમ પારિતોષિક , ગુજરાત સાહિત્ય અકાદમી , ગાંધીનગર , ( ૩ ) ' વર્લ્ડ રેકોર્ડઝ ઈન્ડિયા ' તરફથી સર્જનાત્મક અને ચિત્રાત્મક જીવનચરિત્ર માટે એવોર્ડ , ૨૦૧૮ . ૯) ‘ મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્મૃતિવંદના ' – સંપાદન , ૨૦૧૨ , ( મહારાજા વિશે કાવ્યો અને લેખો ) . 10) ‘ પ્રજાવત્સલ મહારાજા ' – સંપાદન , ૨૦૧૮ ( મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે કાવ્યો અને લેખો ) *'પંખીની પાંખમાં આકાશ' આગામી સમયમાં પ્રકાષિત થશે * 'ભાવ ચરિત્રો' ૨૦૨૦માં પ્રકાષિત થશે. લેખન:- અજયરાજસિંહ એમ ગોહિલ-ચમારડી #history