પ્રેમ શું છે... ‘યે ઇશ્ક નહીં આસાં ઇતના હી સમજ લિજે, ઇક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ’. મશહૂર શાયર જિગર મુરાદાબાદીનો આ શેર બહુ ફેમસ છે. આ જ ગઝલનો બીજો એક શેર એવો છે, ‘હમ ઇશ્ક કે મારોં કા ઇતના હી ફસાના હૈ, રોને કો નહીં કોઇ હસને કો જમાના હૈ’. પ્રેમ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, પ્રેમ કરાતો નથી, પ્રેમ તો થઇ જાય છે. કોઇ વ્યક્તિ કોઇ ચોક્કસ કારણ વગર ગમવા લાગે છે. પ્રેમમાં કોઇ લોજિક હોતું નથી. કોઇપણ પ્રેમી કે પ્રેમિકાને પૂછો કે, તને એનામાં શું ગમે છે? તો એનો જવાબ કદાચ એવો જ હશે કે, બસ ગમે છે. પ્રેમીમાં સો પ્રોબ્લેમ હશે તો પણ એ એને સારો કે સારી જ લાગે છે. પ્રેમમાં માણસ આંધળો થઇ જાય છે, એવું પણ કહેવાતું રહ્યું છે. આ વાત સાવ સાચી છે. સાયન્ટિફિકલી પુરવાર થયું છે કે, માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે તેને પોતાની વ્યક્તિમાં કોઇ ખામી દેખાતી નથી. પ્રેમી કે પ્રેમિકા કંઇક નાનકડું વર્તન કરશે તો પણ એ ભવ્ય લાગશે. માત્ર એક ફૂલ કે એક ચોકલેટ એવડી મોટી વાત લાગશે કે જાણે એણે મારા માટે શુંનું શું કરી નાખ્યું. પ્રેમની એ જ તો મજા છે. join instagram devang_limbani_offical -Devang Limbani #Beauty #Love