મારું મન આજે મને જ કોરી ખાય છે, કયાં જઉં આજ હું મને જ લઈ ને, આ જગતમાં સૌ સૌના મન ને જ, માની બેઠાં છે સત્! પછી હું કયાં જઉં, મન ખોલી ને તુજ ને સોંપ્યું મેં તો, પણ હું સમજી ના શકી આ ભુલ થઈ મારી, આજ મને જગત લાગે છે ખોબા જેટલું , ને મન મારું દરિયો! પછી હું કયાં જઉં, હે ઈશ્વર બનાવ તું મને અશ્રુબુંદ, કે પછી ખિલખિલાટ હાસ્ય, હું સદાય રહેવા ચાહું, નીજાનંદ માંજ ખુશ. #સીમરન મિસ્ત્રી #"સાંઈ"