કબર ની માટી તણી મહેક ચૌદિશ છવાઈ, સંદલ, ગુલાબ ને અત્તર ની સોડમ પણ શરમાઈ... સુકર્મો ની સુગંધ ને ભજન નો રામસાગર, મન સત્ સાધો તો સહજ થી સંભળાય... ન જીવન ની આશા, ન મરણ નો શોક, અમર આત્મા સદા ભજન માં રહે રંગાઈ... જ્યોત જળહળતી જાગતી રહે આઠો જામ, વા વંટોળ ભલે જોર કરે એ કેમેય ન ઓલવાઈ... - બંદગી જ્યોત જળહળતી - બંદગી #શાયર #શાયરી #ડાયરી #જ્યોત #કાવ્ય #કવિ #alfazebandgi