Find the Best myexperiences Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Jay Trivedi
અંતરમન માં સત્ય ના ભાવ થી વાસ્તવિક સત્ય ની અનુભૂતિ કરી શકાય છે. સત્ય ની અનુભૂતિ થી મન તેની ભ્રાંતિઓ અને માયાજાળ થી અવગત થાય છે. સત્ય ના સ્વીકાર થી આ મન માયા થી મુક્ત થાય છે અને માયામુક્ત મન માં જ પ્રેમ નો સંચાર સંભવ છે. પ્રેમ સાધના સ્વરૂપ છે. નિર્દોષ છે. બંધનો થી મુક્ત છે અને એવા પ્રેમ ની અનુભૂતિ થી અંતરમન પ્રેમમય બને છે. સંસાર ને નિહાળવાનો નવો અભિગમ અંતરમન ની અંદર જન્મ લે છે. પોતે સમગ્ર સંસાર થી પૃથક નથી એ સત્ય સમજાય છે. આ સમગ્ર સંસાર જ્યારે પોતીકો લાગવા લાગે ત્યારે મન કરુણા ને જન્મ દે છે. કરુણાથી સહયોગ ની ભાવનાઓ જાગે છે અને સહયોગ ની ભાવનાથી સમગ્ર સંસાર નું હીત અને કલ્યાણ થાય છે. કરુણામય હૃદય થી કરેલા કર્મો સુખ ની પ્રાપ્તિ કરાવે છે. એ સુખ મન ને તૃપ્તિ અને શાંતિ નો અનુભવ કરાવે છે. એ સુખ નશ્વર નથી, માયા નથી. શાંત અને તૃપ્ત મન પોતાના આરાધ્ય થી એકિકાર નો અનુભવ કરે છે અને મન જીવતે જીવત મોક્ષ નો અનુભવ કરે છે. - મારા અનુભવો ©Jay Trivedi #myexperiences #truth #love #compassion #rudra
#myexperiences #Truth love #compassion #RuDra
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited