અંધશ્રદ્ધા થી શ્રદ્ધા તરફ, આવતાં લાગે ઘણી વાર, પણ જો સત્ય આ જાણી ગયા,તો થાય નવી સવાર; અંધશ્રદ્ધા છે ભ્રમ, શ્રદ્ધા બને વિશ્વાસ, ત્યાગીને આવો વહેમ, સ્વકર્મો પર રાખે આશ; અંધશ્રદ્ધા તો ભરમાવે છે, ભવિષ્યને કરમાવે છે, શ્રદ્ધા પ્રકાશ લાવે છે, આશાનો ઉજાસ ફેલાવે છે; જે દોરે છે ગેરમાર્ગે, એ અંધશ્રદ્ધા ખોવી જોઈએ, ભલે ઈશ્વરમાં ન હોય, પણ શ્રદ્ધા હોવી જોઈએ. #શ્રદ્ધા #અંધશ્રદ્ધા #yqgujarati #yqmotabhai #challenge #ગુજરાતી