તારા વગર ની સાંજ વળી કેવી હોય ? બસ હું બારી ને ઢળતો સૂરજ હોય ... વિચાર તો આવે કે ફોન તરત કરું તને , પણ યાદ થી જ ચલાવવું પડે , કેમ કે તું વ્યસ્ત હોય ... સૂરજ પણ ડૂબી ગયો , હવે થયું અંધારું... જે પોષતું તે મારતું , સાલ્લુ આવું જ કેમ હોય ...? રાત કેમ જશે એ વિચાર માં તો આવી ગય રાત , તું તો કહી દે , પણ શ્વાસ વગર કોઈ જીવતું હોય...? કરી જ્યાં લાઈટ ત્યાં આવ્યા પતંગ , ખબર છે કે મરશે , તો પણ એને પ્રેમ હોય ... તારા વગર નો આ પ્રેમ વળી કેવો હોય પ્રેમ તો હોય પણ નિયતી થી વિરુદ્ધ હોય ... તારા વગર ની સાંજ વળી કેવી હોય ? બસ હું બારી ને ઢળતો સૂરજ હોય ... #poem #shayri #nojoto #lovequotes #poetry #hurtquotes #taravagar #thought